ગરુડેશ્વર તાલુકા ના જંતર થી ખડી ગામનો 3 કી.મી.નો રસ્તો 70 વર્ષ પછી બનેલા રસ્તા નું નાળૂ એક જ વર્ષમાં તૂટી જતાં રસ્તો બંધ થઇ જતાં ગ્રામજનો વાહનચાલકોને ભારે હાલાકી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નાળા ની છેલ્લી ની દિવાલ ટુટી ટુ વ્હીલર અને રોડની સાઈડે થી જવાનો વારો ફોરવીલર જઈ શકતા નથી.

ઇમરજન્સી કેસમાં 108 પણ ગાડી ગામે જઇ શકતા દર્દીઓની હાલત કફોડી.
એક જ વર્ષમાં તૂટી ગયેલા રસ્તાની તકલાદી કામ સાથે ગ્રામજનોમાં ભારે રોષ.
ગ્રામસભામાં તકલાદી કામ સાથે અધિકારીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ.
રસ્તાની સુવિધા બંધ થતાં તાત્કાલિક રસ્તો નહીં બને તો ઉગ્ર આંદોલન ગ્રામજનોની ચીમકી.

નર્મદાના ઉનાળાના અંતરિયાળ એવા ગામો છે જ્યાં સારા રસ્તાઓ ગ્રામજનોને નસીબ નથી થયા રસ્તા બન્યા છે તકલાદી અને ચાલુ વરસાદમાં ધોવાઈ જતા બિસ્માર રસ્તાને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે, એવું જ એક ગામ છે ગરૂડેશ્વર તાલુકાના જતર અને વડીગામ જ્યાં જંતર થી ઘડી ગામનો 3 કી.મી.નો રસ્તો 70 વર્ષ પછી નવો બન્યો હતો, 70 વર્ષ પછી ગામને સારો ડામર નો નવો રસ્તો મળતા ગ્રામજનો ખુશ થઈ ગયા હતા, પણ આ ખુરશી વધારે ટકી નહીં કારણકે ચાલુ સાલે ભારે વરસાદ થતા આ રસ્તો ધોવાઈ ગયો અને રસ્તા નું નાળૂ જ તૂટી પડ્યું, નાળા ની દિવાલ પણ તૂટી ગઈ જેને કારણે બનેલા રસ્તા નું નાળૂ એક જ વર્ષમાં તૂટી જતાં રસ્તો બંધ થઇ જતાં ગ્રામજનો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નાળા ની નીચલી સાઈડની દીવાલ પર રોડની સાઈડે થી જવાનો વારો આવ્યો ફોરવીલર જઈ શકતા નથી. ઇમરજન્સી કેસમાં 108 ગાડી ગામે જઇ ન શકતા દર્દીઓની હાલત કફોડી છે.

આ અંગે ગ્રામજન કનુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 70 વર્ષ પછી પહેલી વાર 3 કી.મી.નો ડામર રોડ બનાવ્યો હતો, પણ આ કામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ રોડનું કામ તકલાદી થવાથી રોડ એક જ વર્ષમાં તૂટી જતા આ તકલાદી કામ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. અને આ અંગે ગ્રામસભામાં તકલાદી કામ કરવા અંગે તપાસની માંગ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે. પણ હજુ સુધી કોઇ કાર્યવાહી ન કરતાં ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )