સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટર ઐતિહાસિક સપાટીએ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે કેવડિયા ખાતે‘નમામી દેવી નર્મદે મહોત્સવ’ માં નર્મદા નીરના વધામણા કરશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટર ઐતિહાસિક સપાટીએ

▪વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે કેવડિયા ખાતે‘નમામી દેવી નર્મદે મહોત્સવ’ માં નર્મદા નીરના વધામણા કરશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

▪મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

▪કેવડિયા કોલોની ખાતે આકાર લઇ રહેલ વિવિધ
પ્રવાસન પ્રોજેકટની વડાપ્રધાનશ્રી મુલાકાત લેશે

▪પ્રધાનમંત્રીશ્રીના ૭૦માં જન્મદિવસની ઉજવણી સાથે
રાજ્યભરમાં ઉજવાશે નમામી દેવી નર્મદા મહોત્સવ :
મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમો

▪મા નર્મદાના નીરના વધામણા શ્રીફળ-ચુંદડી અર્પણ કરી મહાઆરતીથી કરાશે

▪રાજ્યમાં સવારે એક કલાક દરમ્યાન નદી, નાળા, તળાવોમાંથી સીંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રિકરણ કરાશે:
સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે જેમાં નાગરિકો સક્રીય સહયોગ આપે

રાજપીપળા તા 16

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી વધુએ ભરાઇ ગયો છે અને રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે ત્યારે આ ઉમંગ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ કેવડિયા ખાતે ઉપસ્થિત રહીને નમામી દેવી નર્મદે મહોત્સવમાં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે. વડા પ્રધાનશ્રીના જન્મદિન પ્રસંગે યોજાનાર આ નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ એક કલાક દરમ્યાન નદી, નાળા, તળાવોમાં રોજીંદા જીવનમાં વપરાતા સીંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રિકરણ કરાશે. તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વૃક્ષા રોપણના કાર્યક્રમોમાં પણ નાગરિકોને જોડાવવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીના ૭૦માં જન્મદિવસે તેમના જ પરિશ્રમ અને પુરૂષાર્થી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી નમર્દા યોજનાનો સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ ભરાવાના સુભગ સમન્વયે અવસરને ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’ તરીકે ઉજવવાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં આયોજન થયું છે.

તેમણે ઉમેર્યું કે, કેવડિયા ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી કેવડિયા ખાતે આકાર લઇ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેકટસ રિવર રાફટીંગ, જંગલ સફારી પાર્ક, બટરફલાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની મુલાકાત લઇને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેર સભા સંબોધશે તેમજ રાજ્યના નાગરિકોના ઉમંગ-ઉલ્લાસમાં નવું બળ પૂરશે.

તેમણે ઉમેર્યું હતું કે, નર્મદા ડેમ આજે ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે. ગુજરાતના જનજનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઊત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં મંત્રી મંડળના સભ્યો સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એટલું જ નહિ તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે, રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરાશે. સાથે સાથે નદી કાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરાશે. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ અંતર્ગત યોજાવાના છે.

જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવમાં લોક કલાકારો પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મી કલાકારો, લોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઇને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે. વશિષ્ઠ સાધુ-સંતો, ધર્મગુરૂઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યકિત વિશેષો પણ આ જનઉમંગ ઉત્સવમાં જોડાવાના છે. આપણે સૌ સાથે મળીને મા નર્મદા જ્યારે આપણા આંગણે આવી છે તો તેને વધાવીએ અને આપણા પર નર્મદા મૈયાની કાયમી કૃપા રહે એ માટે આર્શીવચન મેળવીએ તેમ તેમણે જણાવ્યું હતું. દિલીપગજ્જર

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )