હવેથી કોઈપણ શૈક્ષણિક સંકુલ માં હેલ્મેટ વિના પ્રવેશ મળશે નહીં : પરિપત્ર કરાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ફરજીયાત પણે હેલમેટ પહેરવા અંગે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર દ્વારા દરેક સ્કૂલોને પરિપત્રથી તાકીદી કરી છે. માત્ર તાકીદી જ નહી પરંતુ હેલમેટનો ચૂસ્ત અમલ થાય તેના માટે દંડનિય જોગવાઈ પણ કરવામાં આવી છે.જેથી હવે કોઈપણ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ કરવો હશે તો ફરજિયાત હેલમેટ પહેરવુ પડશે. બીજી તરફ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, જો કોઈ સંસ્થામાં નિયમોનું ઉલ્લંઘન થતુ હશે તો પ્રતિ દિવસે રૂ.૫૦૦ લેખે દંડ પણ ફટકારવામાં આવશે. આ અંગે ડીઈઓ કચેરીના અધિકારીઓ દ્વારા ઓચિંતી રેડ પણ પાડવામાં આવશે તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.ડીઈઓએ પરિપત્રમાં જણાવ્યુ છે કે, રોડ સેફ્ટી કમિટીને ગુજરાત રોજ સેફટી ઓથોરીટી એક્ટ-૨૦૧૮ની કલમ-૧૭માં જણાવ્યાં મુજબ કોઈપણ વિદ્યાર્થી કે કર્મચારી જો શૈક્ષણિક સંકુલમાં હેલમેટ પહેર્યા વિના પ્રવેશ કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે.

જેથી નિયમનો ભંગ કરવા બદલ જે તે શૈક્ષણિક સંકુલને પ્રતિ દિવસ રૂ.૫૦૦ તેમજ વધુમાં વધુ રૂ.૨૫,૦૦૦ની મર્યાદાથી વધે નહી તેવી જોગવાઈ કરવામાં આવી છે.

હેલમેટ વિના કોઈ વ્યક્તિ કે કર્મચારી સ્કૂલમાં પ્રવેશે નહી તેના માટે એન્ટ્રીમાં જ ‘ No Helmet No Entry ‘નું બેનર્સ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે આ અંગે એવા સવાલો પણ ઉઠયાં છે કે, અમદાવાદની શાળાઓ દ્વારા સ્કૂલના નોટિસ બોર્ડ પર સ્કૂલની ફી, વર્ગ શિક્ષકના નામ અને સંબંધીત બોર્ડની વિગતો દર્શાવવામાં ભારે ઉદાસનીતા દાખવી રહી છે, તો પછી હેલમેટ અંગેનુ બેનર્સ લગાવશે કે કેમ તે જોવાનુ રહ્યુ.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )