“ધન્યવાદ કોરોના વોરિયર્સ” કાર્યકમ અંતર્ગત ઉમરપાડા મથકે ડોક્ટર્સ, નર્સ, પોલીસ, જેવા કોરોના વોરિયર્સ નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
Spread the love
નિલય ચૌહાણ દેગડીયા માંગરોલ નેહરુ યુવા કેન્દ્ર સંગઠન સુરત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર બ્લોક ઉમરપાડા ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોના માં લોકોના જીવ બચાવનાર ડોક્ટર્સ,નર્સ,પોલીસ જવાનો,ગ્રામરક્ષક દળ ના જવાનો,ટ્રાફિક બ્રિગેડ ના જવાનો જેવા કોરોના વોરિયર્સ નો આભાર વ્યક્ત કરવા માટે ઉમરપાડા માં જાહેર જગ્યાએ જેવું કે સરકારી દવાખાના, બસ સ્ટેશન, ચોકડી જેવી 8-10 જગ્યાએ સૂત્ર લખી કોરોના વોરિયર્સ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જેમાં આ કાર્યકમ નો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃત કરવાનો હતો, નેહરુ યુવા કેન્દ્ર ના રાષ્ટીય યુવા વાહીની ના સ્વયંસેવક પ્રકાશ ભરવાડ અને ઋષિકેશ પંડ્યા દ્વારા કાર્યકમનું આયોજન કરવામાં આવ્યો હતું આ કાર્યકમ માં ગામ ના યુવા કાર્યકર્તા રાકેશ પારેખ,મેહુલ ભરવાડ પણ હાજર રહ્યા હતા.
CATEGORIES રોજીદા સમાચાર