જૈન એલર્ટ ગ્રુપ ઓફ આંકલાવ-ચરોતર દ્વારા અવિરત પણે ચાલતું પક્ષી બચાવો અભિયાન.
Spread the love
છેલ્લા 8 વર્ષ થી એલર્ટ ગ્રૂપ ઓફ આંકલાવ દ્વારા પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે. આંકલાવ તાલુકા ના કોઈ પણ ગામ માં પક્ષી ઘાયલ થયું હોય તો એલર્ટ ના કાર્યકર્તા દ્વારા સ્થળ ઉપર જઇ પશુ ચિકિત્સલય ના ડો હર્ષ ઠાકર ની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવે છે.
પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સતત ચોથા વર્ષે અસહ્ય ગરમી માં પક્ષીઓ ને પીવાના પાણી માટે માટી ના કુંડા નું અંકલાવ ના અલગ અલગ વિસ્તાર માં વિતરણ કરવામાં આવ્યુ.
આ જીવદયા ના ઉત્કૃષ્ઠ કાર્ય માં
જીવદયા પ્રેમી આંકલાવ જૈન સમાજ ના કમલભાઈ ગાંધી, પરેશભાઈ શાહ, હરેશભાઇ શાહ, મનહરભાઈ શાહ તથા સમીરભાઈ શાહ દ્વારા વિતરણ કાર્ય કરવામાં આવ્યું.
CATEGORIES રોજીદા સમાચાર