સુરેન્દ્રનગર જિલ્લામાં કર્મકાંડી બ્રાહ્મણો ને પણ આર્થિક સહાય પેકેજ આપવાની બ્રાહ્મણોએ માંગ
Spread the love
છેલ્લા ત્રણેક માસથી સમગ્ર રાજ્યના કર્મકાંડી બ્રાહ્મણોની આર્થિક પરિસ્થિતિ કથળી જવા પામી છે, લોકડાઉન અને કોરોના મહામારીને કારણે મંદિરો, દેવાલયો સંપૂર્ણ બંધ છે,અને ધાર્મિક કાર્યો પણ બંધ હોવાથી કર્મકાંડી બ્રાહ્મણોની રોજગારી પણ બંધ છે,અને આગામી લાંબા સમય સુધી તેમની રોજગારી શરૂ થઈ શકે તેમ ન હોવાથી આ પરિવારોની આર્થિક સ્થિતિ દિનપ્રતિદિન બદતર થતી જાય છે. આથી આ મામલે સુરેન્દ્રનગર વઢવાણ અને જોરાવનગર ઔદીચ્ય બ્રહ્મ સમાજના આગેવાનોએ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ દોડી આવી રજૂઆત કરી હતી, અને કર્મકાંડ સાથે જોડાયેલા બ્રાહ્મણ ના તમામ પરિવારોને આર્થિક સહાય મળી રહે તેવું વિશિષ્ટ પેકેજ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી હતી.
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
CATEGORIES રોજીદા સમાચાર