બાકરોલ શાળાના આચાર્યશ્રી ની કોરોના અંતર્ગત ચિત્રસ્પર્ધા માં નેશનલ પસંદગી
Spread the love
આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલય અને આર્ટ ગેલેરી અયોધ્યા દ્રારા આયોજિત કોરોના હરાવો - દેશ બચાવો અંતર્ગત નિઃશુલ્ક ઓનલાઇન પેઇન્ટિંગ સ્પર્ધા નું આયોજન નેશનલ લેવલ પર કરવામાં આવ્યું હતું. જેમાં દેશ માંથી વિવિધ રાજ્યો માંથી ઓનલાઇન પેઇન્ટિંગ મંગાવવામાં આવ્યા હતા જેમાં પુરા દેશના વિવિધ રાજ્યોમાંથી 150 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં લાઈવ બનાવેલ ચિત્રો ને સંગ્રહાલય દ્રારા 23 શ્રેષ્ઠ ચિત્રોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત માંથી પંચમહાલ જિલ્લાના કાલોલ ના બાકરોલ શાળાના આચાર્ય સતીશ પ્રજાપત ની પસંદગી થતાં કાલોલ તાલુકા અને પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમને સંસ્થા દ્રારા ટૂંક સમયમાં ઈ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
CATEGORIES રોજીદા સમાચાર