બાબરા માં પાન ના ગલ્લાઓ પર પોલિસ તંત્ર અને ચેમ્બર ઓફ કોમર્ચ દ્રારા સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા માં આવ્યું.
સરકાર શ્રી ના આદેશ મુજબ તમામ ધંધાઓ ને સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું રહેશે
સમગ્ર ગુજરાત માં ઝોન પ્રમાણે લોકડાઉન માં છુંટછાટ આપવામાં આવેલ છે. જેમાં ગ્રીન ઝોન માં ગલાઓ પણ ખોલવા ની છુંટ આપેલ છે અને કે સરકાર ની શરતો મુજબ રહેશે. સોસિયલ ડીસ્ટન્સ નું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
ત્યારે આજે સવારે બાબરા માં ડાબી બાજુ ની દુકાનો ખોલવામાં આવી હતી. જેમા પાન માવાની દુકાનો પણ ખોલવામાં આવી હતી. ત્યારે પાન માવાની દુકાને લાંબા સમય થી બંધ હોવાથી દુકાનો પર ગ્રાહકો ની કતારો થય જવા પામેલ હતી. અની ગ્રાહકો દ્રારા સોશિયલ ડીસ્ટન્સ જળવાયું ના હતું તેના માટે પોલિસ તંત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા સોસિયલ ડીસ્ટન્સ નું પાલન કરાવવા માં આવ્યું હતું આ તકે બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી મુન્નાભાઈ મલકાણ જાતે જઈ ગ્રાહકો ને સોસિયલ ડીસ્ટન્સ નું પાલન કરવા અપીલ કરી હતી. સાથે બાબરા પી.આઈ.વાઘેલા સાહેબ, મામલતદાર સાહેબ, પી.એસ.આઈ.પંડ્યા સાહેબ, પણ હાજર રહી લોકોને સોસિયલ ડીસ્ટન્સ નું પાલન કરાવેલ હતું.
રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા