15 મે.. જન્મ-દિવસ………સુખદેવ થાપર
કે જેઓને ભગતસિંહ સાથે જ ફાંસી આપવામાં આવી હતી..
■ જન્મ – ૧૫ મે ૧૯૦૭
■ આપણા રાષ્ટ્રનાં એક સશસ્ત્ર ક્રાંતિકારી…
■ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના નવયુવાન અને અગ્રણી સભ્ય હતા…
■ સને – 1929 માં જેલમાં કેદીઓ સાથે અમાનવીય વ્યવહારનાં વિરોધમાં કરવામાં આવેલી હડતાળમાં અગ્રિમ હરોળમાં રહીને ઉત્સાહભેર ભાગ લીધો હતો…
■ લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઈજાઓથી તેમનું મૃત્યુ થયું…
■ આ ઘટનાનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders) ની ગોળી મારીને હત્યા કરી…
■ આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા ફરમાવવામાં આવી…
■ ગાંધી-ઈરવિન સમજૂતીનો વિરોધ કરવા તેમણે મહાત્મા ગાંધીને ખુલ્લો પત્ર અંગ્રેજી ભાષામાં લખ્યો હતો…
■ આ પત્રની પ્રતિક્રિયાનાં રૂપમાં જેલ મેન્યુઅલનાં નિયમોને કોરાણે મૂકીને નિર્ધારિત કરેલ દિવસ પહેલા જ ફાંસીનાં માંચડે લટકાવી દેવામાં આવ્યા…
■ અને આમ, 23 માર્ચ, 1931 નાં રોજ સાંજે 7:00 કલાકે આ ત્રણે વિર ક્રાંતિકારીઓને લાહોરમાં ફાંસી આપવામાં આવી હતી…
■ માત્ર 24 જ વર્ષની અલ્પ આયુમાં રાષ્ટ્રનાં આ સપુત શહિદ થયા…