હળવદ રાજ્યમાં કર્મકાંડી બ્રાહ્મણોને આર્થિક સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર
Spread the love
સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે કર્મકાંડ કરતા ભૂદેવોની સ્થિતિ દયાજનક બની છે ત્યારે રાજ્ય સરકાર કર્મકાંડી બ્રાહ્મણોને આર્થિક સહાય આપે તેવી માંગ કરી છે શ્રી હળવદ ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે કોરોના વાયરસ મહામારીને પગલે લોક ડાઉન છે જેથી કર્મકાંડ કરતા ભૂદેવોની સ્થિતિ દયાજનક બની છે અને કર્મકાંડ કરતા ભૂદેવોને આર્થિક સહાયની રાજ્ય જરૂરત છે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે
ત્યારે કર્મકાંડ કરતા ભૂદેવોની આજીવિકા માત્ર ધાર્મિક કાર્યો પર નિર્ભર છે તે છીનવાઈ ગઈ છે અને નજીકના ભવિષ્યમાં કોઈ ધાર્મિક વિધિ શરુ થાય તેવી શક્યતાઓ નથી જેથી રાજ્ય સરકાર કર્મકાંડી ભૂદેવોને આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ કરી
મયુર રાવલ હળવદ
CATEGORIES રોજીદા સમાચાર